રાધિકાએ અનંતની લાગણીઓને છપાવી પોતાના ડ્રેસમાં, જુઓ તસવીર

મુંબઈ: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની ડ્રીમીંગ લવ સ્ટોરી તેમના કોલેજકાળ દરમિયાન શરૂ થઈ હતી. મિત્રતાનો આ સંબંધ હવે લગ્નમાં ફેરવાશે. જુલાઈ 2024માં તેમના ભવ્ય લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. તાજેતરમાં કપલનું બીજું પ્રી-વેડિંગ ફંક્શન યોજાયું હતું. ઈટાલીમાં 29 મે થી 1 જૂન સુધી ભવ્ય ઉજવણી થઈ હતી.અહીં ફિલ્મી દુનિયાના સ્ટાર્સ પણ પહોંચ્યા હતા. ખુબ જ ગ્રાન્ડ રીતે થયેલી આ ઉજવણીને જોવા લોકો આતુર હતા. ત્યારે અનંત-રાધિકાની ક્રૂઝ પાર્ટીની કેટલીક તસવીરો સામે આવી છે.

વાસ્તવમાં રાધિકા દરેક ઈવેન્ટમાં સ્ટનિંગ લાગી રહી છે. પરંતુ પ્રથમ ઈવેન્ટમાં તેણે એક યુનિક કસ્ટમાઈઝ્ડ ગાઉન પહેર્યું હતું, જેની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે.રાધિકાએ રોબર્ટ વુનનું ડિઝાઈનર ગાઉન પહેર્યું હતું. આ ગાઉન રાધિકા માટે હંમેશા ખાસ રહેશે કારણ કે તેણે તેના પર અનંત અંબાણીનો લવ લેટર પ્રિન્ટ કરાવ્યો છે. અનંતે આ પત્ર તેની પ્રેમિકા રાધિકાના 22માં જન્મદિવસ પર લખ્યો હતો.આ આઉટફિટમાં એક લોન્ગ ટ્રેલ છે જેના પર રાધિકા માટે અનંતની લાગણીઓ છપાયેલી છે.

રાધિકાએ લેયર્ડ નેકલેસ અને મેચિંગ ઈયરિંગ્સ સાથે તેના ખાસ લુકને જોડી દીધો છે.લાઇટ મેકઅપ અને ઓપન-પિન સ્ટ્રેટ હેરથી લુકને વધુ ગ્લોઇંગ બનાવવામાં આવ્યો છે. આ ગાઉનની ખાસિયત જણાવતા રાધિકાએ વોગ સાથેની વાતચીતમાં કહ્યું- અનંતે મારા જન્મદિવસ પર આ લાંબો પ્રેમપત્ર લખ્યો હતો. તેમાં વ્યક્ત કરેલ છે તેના માટે હું શું છું. હું તેને ભાવિ પેઢીઓ માટે સાચવવા માંગતી હતી.હું મારા બાળકો અને પૌત્રોને બતાવવા માંગુ છું. હું તેમને કહીશ કે અમારો પ્રેમ આવો હતો.

 

View this post on Instagram

 

A post shared by Ambani Family (@ambani_update)

અનંત-રાધિકાના લગ્નની વાત કરીએ તો, બંને 12 જુલાઈએ Jio વર્લ્ડ સેન્ટરમાં સાત ફેરા લેશે. લગ્ન હિંદુ રીતિ-રિવાજ મુજબ થશે. 13મી જુલાઈના રોજ શુભ આશીર્વાદનો પ્રસંગ થશે. જ્યાં તમામ મહેમાનો અને પરિવારના સભ્યો નવદંપતીને આશીર્વાદ આપશે.લગ્નનું રિસેપ્શન 14મી જુલાઈએ રાખવામાં આવ્યું છે. ત્રણ દિવસ સુધી ચાલનારા આ વેડિંગ ફંક્શનમાં ફિલ્મ સ્ટાર્સ પણ જોવા મળશે. રાધિકા અને અનંતને દુલ્હા અને દુલ્હનના લુકમાં જોવા માટે ફેન્સ આતુર છે. ચોક્કસ યુગલના ભવ્ય લગ્ન વર્ષો સુધી યાદ રહેશે.