વડાપ્રધાન મોદીની સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે ફરી વરણી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને આજે સોમવારે ગાંધીનગર રાજભવન ખાતે શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટની બેઠક મળી હતી. આ બેઠકમાં વડાપ્રધાન મોદીની આગામી 5 વર્ષ માટે ફરી અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે. આ બેઠકમાં ટ્રસ્ટની કામગીરી સાથે સંબંધિત વિવિધ પાસાઓ પર ચર્ચા થઈ હતી. દરમિયાન તેમણે એવી પણ સમીક્ષા કરી છે કે, મંદિર સંકુલને અત્યાધુનિક ટેકનોલોજી કેવી રીતે લાભ આપી શકે છે, જેથી યાત્રાધામનો અનુભવ વધુ યાદગાર બની રહે.

બેઠકમાં શું નિર્ણયો લેવામાં આવ્યા અને શું ચર્ચા થઈ ?