PM મોદી ધ્યાનમાંથી બહાર આવ્યા

પીએમ નરેન્દ્ર મોદીએ કન્યાકુમારીમાં વિવેકાનંદ રોક મેમોરિયલમાં તેમનું 45 કલાકનું ધ્યાન પૂર્ણ કર્યું છે. ધ્યાન પૂર્ણ કર્યા બાદ પીએમ મોદીએ નજીકમાં સ્થિત કવિ તિરુવલ્લરને પણ શ્રદ્ધાંજલિ આપી હતી. ગુરુવારે બરાબર 3 વાગ્યે તેઓ ધ્યાનથી બહાર આવ્યા હતા. PM નરેન્દ્ર મોદી ગુરુવારે ધ્યાન માટે કન્યાકુમારી પહોંચ્યા હતા. અહીંના ભગવતી અમ્માન મંદિરમાં પૂજા કર્યા બાદ તેઓ ફેરી દ્વારા વિવેકાનંદ રોક મેમોરિયલ પહોંચ્યા અને ધ્યાન કરવા લાગ્યા.

પીએમ ગુરુવારે કન્યાકુમારી પહોંચ્યા હતા

PM નરેન્દ્ર મોદી ગુરુવારે ધ્યાન માટે કન્યાકુમારી પહોંચ્યા હતા. અહીંના ભગવતી અમ્માન મંદિરમાં પૂજા કર્યા બાદ તેઓ ફેરી દ્વારા વિવેકાનંદ રોક મેમોરિયલ પહોંચ્યા અને ધ્યાન કરવા લાગ્યા. કન્યાકુમારી સૂર્યોદય અને સૂર્યાસ્તના નજારા માટે પ્રખ્યાત છે. પીએમ મોદી 30 મેની સાંજે વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે ધ્યાન કરવા પહોંચ્યા હતા. આ સ્મારક સ્વામી વિવેકાનંદને શ્રદ્ધાંજલિ તરીકે બનાવવામાં આવ્યું છે અને તે સમુદ્રની મધ્યમાં આવેલું છે.

ચૂંટણી પૂરી થયા પછી કન્યાકુમારી પહોંચ્યા

ચૂંટણીના છેલ્લા તબક્કાનો પ્રચાર પૂરો થયા બાદ પીએમ મોદી તમિલનાડુના કન્યાકુમારી પહોંચ્યા હતા. ગુરુવારે કન્યાકુમારી પહોંચ્યા બાદ તેમણે ભગવતી અમ્માન મંદિરમાં પૂજા પણ કરી હતી. આ મંદિર દેવી કન્યાકુમારીને સમર્પિત છે. અગાઉ, 2019ના ચૂંટણી પ્રચાર પછી, પીએમએ કેદારનાથ ગુફામાં ધ્યાન કર્યું હતું.