PM મોદી શિબુ સોરેનને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા

ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ઝારખંડ મુક્તિ મોરચાના સ્થાપક શિબુ સોરેનના અવસાન પર શ્રદ્ધાંજલિ આપતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કહ્યું કે તેઓ ખાસ કરીને આદિવાસી સમુદાયો, ગરીબો અને વંચિતોને સશક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. શિબુનું સોમવારે સર ગંગારામ હોસ્પિટલમાં અવસાન થયું. પીએમ હોસ્પિટલમાં ગયા અને શિબુના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ આપી અને પછી તેમના પુત્ર અને મુખ્યમંત્રી હેમંત સોરેનને મળ્યા અને શોક વ્યક્ત કર્યો.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સીએમ હેમંત સોરેન અને તેમના પરિવાર સાથેની મુલાકાતની તસવીરો શેર કરતા પીએમ મોદીએ કહ્યું, ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ. આ દુઃખની ઘડીમાં તેમના પરિવારને મળીને મારી સંવેદના વ્યક્ત કરી. તેમનું આખું જીવન આદિવાસી સમાજના કલ્યાણ માટે સમર્પિત હતું, જેના માટે તેમને હંમેશા યાદ રાખવામાં આવશે.

શિબુ સોરેન એક પાયાના નેતા હતા: પીએમ મોદી

ઝારખંડ મુક્તિ મોરચાના સ્થાપક શિબુ સોરેન, જે ગુરુજી તરીકે જાણીતા હતા, તેમનું આજે અવસાન થયું. તેઓ 81 વર્ષના હતા. ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનને કિડની સંબંધિત સમસ્યાઓના કારણે એક મહિનાથી વધુ સમયથી દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમની સારવાર ચાલી રહી હતી.

પ્રધાનમંત્રી મોદીએ આજે સવારે ભૂતપૂર્વ મુખ્યમંત્રીના અવસાનના સમાચાર મળતા જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, શિબુ સોરેનજી એક પાયાના નેતા હતા જે લોકો પ્રત્યેના તેમના અતૂટ સમર્પણને કારણે જન નેતા બન્યા હતા. તેઓ ખાસ કરીને આદિવાસી સમુદાયો, ગરીબો અને વંચિતોને સશક્ત બનાવવા માટે સમર્પિત હતા. તેમણે વધુમાં કહ્યું કે, તેમનું અવસાન ખૂબ જ દુઃખદ છે. મારા સંવેદના તેમના પરિવાર અને ચાહકો સાથે છે. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનજી સાથે વાત કરી અને સંવેદના વ્યક્ત કરી. ઓમ શાંતિ.