રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોમવારે સાંજે નવી દિલ્હીમાં અજિત કુમાર, નંદામુરી બાલકૃષ્ણ અને શેખર કપૂર સહિત કલાકાર જગત અને અન્ય ક્ષેત્રમાં યોગદાન આપનારને સન્માનિત કર્યા હતાં. આ દરમિયાન ગાયકો અરિજિત સિંહ, જસપિંદર નરુલા અને પીઢ અભિનેત્રી મમતા શંકરને કલા ક્ષેત્રમાં તેમના યોગદાન બદલ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત આ સમારોહમાં વિવિધ ક્ષેત્રોના પ્રતિષ્ઠિત વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. અહીં જાણો કઈ સેલિબ્રિટીઓને એવોર્ડ મળ્યો. પીઢ ગાયક પંકજ ઉધાસને કલા ક્ષેત્રમાં તેમના યોગદાન બદલ મરણોત્તર પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમની પત્ની ફરીદા પંકજ ઉધાસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પાસેથી આ એવોર્ડ મેળવ્યો હતો.
ફિલ્મ ઉદ્યોગની આ હસ્તીઓનું સન્માન કરવામાં આવ્યું
અભિનેતા નંદમુરી બાલકૃષ્ણ- પદ્મ ભૂષણ
ગાયક પંકજ ઉધાસ (મરણોત્તર) – પદ્મ ભૂષણ
અભિનેતા અજિત કુમાર-પદ્મ ભૂષણ
ફિલ્મ નિર્માતા શેખર કપૂર-પદ્મ ભૂષણ
અભિનેતા અનંત નાગ- પદ્મ ભૂષણ
અભિનેતા અશોક લક્ષ્મણ સરાફ – પદ્મશ્રી
અભિનય કોચ, થિયેટર ડિરેક્ટર બેરી ગોડફ્રે જોન – પદ્મશ્રી
ગાયક જસપિન્દર નરુલા- પદ્મશ્રી
ગાયિકા અશ્વિની ભીડે-દેશપાંડે-પદ્મશ્રી
સંગીતકાર રિકી જ્ઞાન કેજ – પદ્મશ્રી
લોક ગાયક ભેરુસિંહ ચૌહાણ-પદ્મશ્રી
ભક્તિ ગાયક હરજિન્દર સિંહ શ્રીનગર વાલે-પદ્મશ્રી
લોક સંગીતકાર જોયનાચરણ બાથેરી – પદ્મશ્રી
ઓમાનકુટ્ટી અમ્મા – શાસ્ત્રીય ગાયિકા પદ્મશ્રી
ગાયક મહાબીર નાયક – પદ્મશ્રી
અભિનેત્રી મમતા શંકર – પદ્મશ્રી
અજિત કુમારને પદ્મ ભૂષણ એનાયત કરવામાં આવ્યા
સુપરસ્ટાર અજિત કુમારને પણ પદ્મ ભૂષણ એવોર્ડ મળ્યો. જાન્યુઆરીમાં જ્યારે પુરસ્કાર વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે અજીથે એક નિવેદનમાં કહ્યું હતું કે,’ભારતના રાષ્ટ્રપતિ તરફથી પ્રતિષ્ઠિત પદ્મ પુરસ્કાર પ્રાપ્ત કરીને હું ખૂબ જ નમ્ર અને સન્માનિત અનુભવું છું. હું ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતીનો હૃદયપૂર્વક આભાર માનું છું. આ પ્રતિષ્ઠિત સન્માન માટે દ્રૌપદી મુર્મુ અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો ખૂબ ખૂબ આભાર.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા સન્માનિત
ભારતીય ફિલ્મ ઉદ્યોગ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ રહ્યો છે. જ્યાં દક્ષિણના બે કલાકારોને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. બોલિવૂડના શેખર કપૂરનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. શેખર ‘માસૂમ’, ‘મિસ્ટર’ જેવી ઉત્તમ ફિલ્મો બનાવવા માટે જાણીતા છે.
