શું હાઇવે પરથી ક્યારેય ખતમ થશે ટોલ ટેક્સ?

નવી દિલ્હીઃ દેશમાં અંધાધૂધ ટેક્સ વસૂલવાનો ખેલ જારી છે. ટોલ કંપનીઓ રસ્તા નિર્માણ પર આવેલા ખર્ચ કરતાં ક્યાંય વધુ ટોલ ટેક્સ વસૂલ કરી રહી છે. આમાં કેટલાય હાઇવે એવા છે, જેના રસ્તા નિર્માણનો ખર્ચ નીકળી ગયો છે, પરંતુ આગામી આઠ-10 વર્ષ વધુ ટોલ ટેક્સ વસૂલવા માટે કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યા છે. ટોલ કંપનીઓ અને સરકારની કમાણીનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે ટોલથી આ રસ્તાઓનો પડતર ખર્ચ તો પહેલાં જ વસૂલ કરી લેવામાં આવ્યો છે, પણ હજી ટોલ વસૂલવાનો ખેલ હજી પણ જારી છે.

મધ્ય પ્રદેશ સરકારે ભોપાળથી દેવાસની વચ્ચે સ્ટેટ હાઇવેનું નિર્માણ કરાવ્યું હતું. આ એક ફોર-લેન હાઇવે છે, પરંતું એ હાઇવે જેટલામાં બન્યો છે, એનાથી અનેક ઘણો ટોલ વસૂલવામાં આવ્યો છે અને હજી ટોલ વસૂલવાનો ખેલ રહ્યો છે.

મધ્ય પ્રદેશમાં ભોપાલથી દેવાસ સુધીનો આ હાઇવે રૂ. 426 કરોડનો ખર્ચ થયો હતો, એમ એક સરકારી દસ્તાવેજ કહે છે, પણ ઓગસ્ટ, 2010થી અત્યાર સુધી આ હાઇવેઝ પર રૂ. 1610 કરોડ ટોલ વસૂલવામાં આવી ચૂક્યો છે. એટલે કે રાજ્ય સરકારે રૂ. 1184 કરોડ વધુ ટોલ વસૂલ્યો છે.  વળી, સરકાર હજી પણ નવ વર્ષ સુધી આ હાઇવે પર ટોલ ટેક્સ વસૂલશે.

દેશમાં 1,46,599 લાખ કિલોમીટર નેશનલ હાઇવે છે. આ સાથે રાજ્યોના કુલ હાઇવેઝ 1.79 લાખ કિલોમીટર છે અને 5500 કિલોમીટર 44 સ્ટેટ એક્સપ્રેસ વે છે. આ હાઇવેઝથી પ્રતિ વર્ષ સરકાર ટોલ ટેક્સ સ્વરૂપે રૂ. 60,000 કરોડ વસૂલે છે. હવે દેશમાં ટોલ ટેક્સની સમીક્ષા કરવાનો સમય પાકી ગયો છે.