નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને સવાલ કર્યો હતો કે 77 સમાજને (જેમાં મોટા ભાગના મુસ્લિમો હતા) તેમને અન્ય પછાત વર્ગ માટે વર્ગીકૃત કરવા ને તેમને તેમને અનામતનો લાભ લેવા માટે પાત્ર બનાવવા માટેની અપનાવેલી પ્રક્રિયા કઈ હતી.
સુપ્રીમ કોર્ટે હાલમાં ઐતિહાસિક ચુકાદામાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અનામતની અંદર અનામત આપવા માટે મંજૂરી આપી હતી. એ સાથે બી. આર. ગવઇએ કહ્યું હતું કે સરકારોને SC-STની અંદર ક્રીમી લેયરની ઓળખ કરવા માટેનો પ્રકાર શોધવો જોઈએ. જોકે એના માટે કોઈ સ્પષ્ટ માપદંડ કોર્ટે નહોતો આપ્યો.
કોર્ટે રાજ્યથી એ પણ પૂછ્યું છે કે શું એમાં સામેલ સમાજોના પછાતપણા માટે કોઈ ક્વોન્ટિટિવ ડેટા છે? CJI ડી. વાય. ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની બેન્ચે પશ્ચિમ બંગાળથી એ પણ માહિતી માગી હતી કે શું રાજ્યએ OBCના સબ-ક્લાસિફિકેશન માટે કોઈ સલાહ લીધી છે.
સુપ્રીમ કોર્ટ પશ્ચિમ બંગાળની મમતા સરકારની અપીલ પર સુનાવણી કરી રહી હતી, જેમાં 2010 પછી જારી કરવામાં આવેલાં બધાં OBC સર્ટિફિકેટોને રદ કરવા માટેના કોલકાતા હાઇકોર્ટના 22 મેના આદેશને પડકારવામાં આવ્યો હતો. હાઇકોર્ટનું માનવું હતું કે 77 સમાજોને OBCનો દરજ્જો આપવા માટે વાસ્તવમાં ધર્મ જ એકમાત્ર માપદંડ પ્રતીત થાય છે.
સુપ્રીમ કોર્ટની બેન્ચમાં સામેલ જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાએ રાજ્યને એક સોગંદનામું દાખલ કરવા માટે નિર્દેશ આપરતાં 77 સમાજોને OBC સમાજોને વર્ગીકૃત કરવામાં માટે અપનાવવામાં આવેલી પ્રક્રિયાને સમજાવવામાં આવે.
