કોરોના સંક્રમિતોની સંખ્યા 39 લાખને પારઃ BAPSના સાધુ-સંતોને કોરોના

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં ઉત્તરોઉત્તર વધારો થઈ રહ્યો છે. છેલ્લા બે દિવસથી કોરોનાના કેસો 80,000થી વધુ આવી રહ્યા છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 83,341 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 1096 લોકોનાં મોત થયાં છે, દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 39,36,747 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 68,472 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 30,37,151 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 8,311,124 પહોંચી છે. રિકવરી રેટ વધીને 77 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.78 ટકા થયો છે.

સ્વામિનારાયણ મંદિરમાં 28 સાધુ-સંતોને કોરોના  

અમદાવાદના શાહીબાગમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં BAPSના 28 સાધુ-સંતો અને કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યા છે. AMCના આરોગ્ય વિભાગે 150 સાધુ-સંતો અને કર્મચારીના ટેસ્ટિંગ કર્યા હતા. જેમાંથી 28 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. સાધુ-સંતો પોઝિટિવ આવતાં તેમને ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા હતા.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.