ગડકરી દિલ્હી-પાનીપત હાઈવે પર 11 ફ્લાઈઓવરનું લોકાર્પણ કરશે

નવી દિલ્હીઃ કેન્દ્રના રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઈવેઝ ખાતાના પ્રધાન નીતિન ગડકરી આવતીકાલે દિલ્હીથી પાનીપત સુધીના આઠ-લેનવાળા નેશનલ હાઈવે પર 11 ફ્લાઈઓવરોનું લોકાર્પણ કરશે. આ જાણકારી હરિયાણાના નાયબ મુખ્ય પ્રધાન દુષ્યંત ચૌટાલાએ આપી છે.

(પ્રતિકાત્મક તસવીર)

આ 11 ફ્લાઈઓવર રૂ. 900 કરોડના ખર્ચે બંધાયેલા 24-કિ.મી. લાંબા એક રોડ પ્રોજેક્ટનો હિસ્સો છે.