શું કોંગ્રેસ સાથે ગઠબંધનના મૂડમાં નથી કેજરીવાલ?

નવી દિલ્હીઃ સનાતન ધર્મને લઈને DMK નેતા ઉદનિધિ સ્ટાલિનના નિવેદન મુદ્દે કોંગ્રેસથી માંડીને આમ આદમી પાર્ટી  સુધી –બધા પક્ષોના નેતાઓ ધર્મસંકટમાં મુકાયા છે. ઉદયનિધિ પોતાના નિવેદન પર કાયમ છે. ત્યારે INDIAના નેતાઓની હાલત કફોડી કરી દીધી છે, ત્યારે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. કેજરીવાલે રાજસ્થાનમાં પાર્ટીનો પ્રચાર કરતા ગહેલોત સરકારની ખામીઓ ઉજાગર કરી હતી.

કેજરીવાલે જયપુરમાં એક જનસભાને લોકોને ચૂંટણી વચન આપ્યું હતું કે તેમની પાર્ટીની સરકાર બનવા પર તેઓ રાજ્યમાં 24 કલાક મફત વીજળી આપશે. રાજ્યમાં જૂનાં બધાં વીજળીનાં બિલો માફ થશે અને 300 યુનિટ સુધી મફત વીજ આપવામાં આવશે. જેમાં રાજ્યના 90 ટકા લોકો કવર થઈ જશે.તેમણે જનતાને સંબોધિત કરતાં કહ્યું હતું કે મને માલૂમ છે કે રાજસ્થાનમાં 7-8 કલાક પાવર કટ થાય છે. બિલ આવે છે, પણ વીજળી નથી આવતી. પહેલાં દિલ્હીમાં 8-8 કલાક પાવર કટ થાય છે. હવે દિલ્હીમાં 24 કલાક વીજ આવે છે. ત્યાં જનરેટર અને ઇન્વર્ટરની દુકાનો બંધ થઈ ગઈ છે.

તેમણે કહ્યું હતું કે એક તક આપો રાજસ્થાનવાસીઓ- તમને 24 કલાક વીજ આપીશું. 24 કલાક વીજ આવશે અને એ પણ મફત આવશે. આ સાથે તેમણે શિક્ષણ, હેલ્થની પણ ગેરન્ટી આપી હતી. તેમણે ભ્રષ્ટાચારમુક્ત રાજસ્થાનની ગેરન્ટી આપી હતી.