એન્ટીક વસ્તુઓમાં લોકોની દિલચસ્પી કેમ વધી રહી છે?

નવી દિલ્હી: દેશના ખાનદાની રહીશો સમયે-સમયે એમને વારસાગત મળેલો કિંમતી સામાન વેચવાનો નિર્ણય કરતા હોય છે. આ સામાન એવો હોય છે, જેની વ્યવહારિક કિંમત શૂન્ય થઈ ગઈ હોય છે, પણ ઐતિહાસિક વિરાસત તરીકેનું મૂલ્ય વટાવી શકાય એવું હોય છે.

આર્ટ ને સ્કલ્પચર જેવી વારસાગત વિરાસતની તો અલાયદી કેટેગરી છે, સાથે વિન્ટેજ રગ, કાલીન, શૉલ, સાડી, રુમાલ, ઘડિયાળ, ટાઈમ પીસ અને ઓટોમોબાઈલ ફર્નિચર તેમ જ એવો બીજો દાયકાઓ જૂનો સામાન પણ વારસાગત વિરાસત તરીકે વેચાય છે. જૂના દાગીના તો સૌથી વધારે ડિમાન્ડમાં હોય છે. પારવારિક વિરાસતની નિલામીનું પ્રમાણ હવે વધી રહ્યું છે. આજે આર્ટ માર્કેટ આશરે 1200 કરોડ રૂપિયાનું છે એમાં જોકે પારિવારિક વિરાસત ઘણો નાનો હિસ્સો છે.

ટાઈમલાઈન 25 વર્ષથી શરુ

એન્ટિક્વિટીઝ એન્ડ આર્ટ ટ્રેઝર્સ એક્ટ અનુસાર, ઐતિહાસિક મહત્વની કોઈ પણ વસ્તુ જે 100 વર્ષ કે તેનાથી વધુ જૂની હોય તેનું શિપમેન્ટ ન કરી શકાય. વૈજ્ઞાનિક, ઐતિહાસિક, સાહિત્યિક કે કોઈ ખાસ પ્રકારની કિંમતી હસ્તપ્રત કે રેકોર્ડ માટે આ ટાઈમલાઈન 75 વર્ષથી શરુ થાય છે. આ એક્ટ મારફતે દેશમાં અનેક વખત પ્રાચીન વસ્તુઓની ચોરી રોકવામાં મદદ મળી છે. લો એનફોર્સમેન્ટ એજન્સીઓએ ગયા વર્ષે કુલ 5.5 કરોડ રૂપિયાની અડધા ડર્ઝન જેટલી પ્રાચીન મૂર્તિઓને વિદેશી બજારોમાં ગેરકાયદે રીતે વેચવાની યોજનાને નિષ્ફળ બનાવી હતી.

પશ્ચિમી દેશોમાં અમીર પરિવાર પોતાની પ્રાચીન વિરાસતોને મ્યૂઝિયમોમાં લગાવે છે. ભારતમાં આ ચલણ હજુ શરુ નથી થયું, અહીં સામાન્ય રીતે આવી વસ્તુઓને વેંચી નાખવામાં આવે છે. વેચનાર વ્યક્તિ આ વસ્તુઓને જાહેરમાં નથી વેચવા માગતો, તેઓ નથી ઈચ્છતા કે તેમના પૂર્વજોની વિરાસત સામાન્ય લોકો ખરીદે. જો આ લોકો જાહેરમાં વેચાણ કરવા તૈયાર થઈ જાય તો આવી વસ્તુઓની વધુ કિંમત મેળવી શકે છે.

લાખો-કરોડોની હરાજી

એન્ટીક વસ્તુઓની હરાજી કરનારા અન્ય પ્લેટફોર્મ સૈફ્રનઆર્ટે તાજેતરમાં જ સ્ટીફન વ્હીલરને ‘હિસ્ટ્રી ઓફ ડેલ્હી કોરોનેશન દરબાર’ને 3.85 લાખ રુપિયામાં હરાજી કરી હતી. સૈમ્યુઅલ બોર્ન એન્ડ ચાર્લ્સ શેફર્ડની ‘રોયલ ફોટોગ્રાફિક આલ્બમ ઓફ સીન્સ એન્ડ પર્સોનેઝેસ’ને 13.93 લાખ રુપિયામાં હરાજી કરી હતી. ફ્રૈન્સ બેલ્થાજારની ચાર વોલ્યૂમ વાળી શ્રૃંખલા ‘હિન્દુઝ ઓફ કેલકટા’ સૈફ્રનઆર્ટ પર 22.20 લાખ રુપિયામાં વેચવામાં આવી હતી.