ક્રેડિટ કાર્ડધારકો માટે મહત્ત્વના અપડેટ્સ; RBIએ બહાર પાડ્યા નવા નિયમ

મુંબઈઃ જે ભારતીયો આંતરરાષ્ટ્રીય વ્યવહારો માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે તેમણે વધારે ટેક્સ ચૂકવવા માટે તૈયાર રહેવું પડશે. કેન્દ્રીય નાણાં મંત્રાલયે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે જે અંતર્ગત આંતરરાષ્ટ્રીય ક્રેડિટ કાર્ડ સોદાઓને હવે ભારતીય રિઝર્વ બેન્કના લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ (એલઆરએસ) હેઠળ મૂકી દેવામાં આવ્યા છે.

આને લીધે ભારતની બહારના સોદાઓ માટે ક્રેડિટ કાર્ડના ઉપયોગ ઉપર 20 ટકા ટીસીએસ (ટેક્સ કલેક્શન એટ સોર્સ) લાગુ કરવાનો માર્ગ કેન્દ્ર સરકાર માટે મોકળો થયો છે. અગાઉ એલઆરએસ હેઠળ માત્ર ડેબિટ કાર્ડ, ફોરેક્સ કાર્ડ અને બેન્ક ટ્રાન્સફર્સનો જ સમાવેશ કરવામાં આવ્યો હતો.

આ ફેરફાર સાથે, આવતી 1 જુલાઈ સુધી પાંચ ટકા ટીસીએસ અમલમાં આવશે. 1 જુલાઈ બાદ ક્રેડિટ કાર્ડથી થનાર પ્રત્યેક આંતરરાષ્ટ્રીય વ્યવહાર ઉપર 20 ટકા ટીસીએસ લાગુ થશે.