પાંચ વર્ષોમાં કેનેડામાં સૌથી વધુ ભારતીય વિદ્યાર્થીઓનાં મોત

નવી દિલ્હીઃ દેશમાંથી ભારે સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જાય છે. જોકે આ વિદ્યાર્થીઓથી સંકળાયેલા એક ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે સંસદમાં જણાવ્યું હતું કે વર્ષ 2018થી કુદરતી આફતો અને દુર્ઘટનાઓ સહિત વિવિધ કારણોને કારણે કમસે કમ 403 ભારતીય વિદ્યાર્થીઓનાં મોત થયાં છે. આ દરમ્યાન 34 દેશોમાંથી સૌથી વધુ મોત કેનેડામાં થયાં છે.

આ ડેટા કેન્દ્રીય મંત્રી વી. મુરલીધરને રાજ્યસભામાં રજૂ કર્યા હતા. મંત્રાલયે રજૂ કરેલા આંકડા અનુસાર કેનેડામાં વર્ષ 2018માં 91 ભારતીય વિદ્યાર્થીઓનાં મોત થયાં છે. આ સિવાય બાકીના દેશો છે, જેમાં UK (48), રશિયા (40), અમેરિકા (36), ઓસ્ટ્રેલિયા (35), યુક્રેન (21), જર્મની (20)નું સ્થાન છે. ત્યાર બાદ સાયપ્રસ (14), ઇટાલી અને ફિલિપિન્સમાં દરેકમાં (10) વિદ્યાર્થીઓનાં મોત થયાં છે.

આ આંકડા રજૂ કરતી વખતે મુરલીધરને વિદેશોમાં ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા અને ભલાઈ માટે કેન્દ્રની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. આ દરમ્યાન તેમણે વ્યક્તિગત મામલાઓ પર ધ્યાન આપવા અને ભવિષ્યમાં કોઈ પણ અપ્રિય ઘટનાને અટકાવવાની દિશામાં કામ કરવા માટેં વચન આપ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે મુખ્ય અને વરિષ્ઠ અધિકારીઓ નિયમિત રૂપે કોલેજો અને યુનિવર્સિટીઓની મુલાકાત લઈ રહ્યા છીએ અને ભારતીય વિદ્યાર્થી સાથે વાતચીત કરી રહ્યા છે. વિદેશોમાં ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા ભારત સરકાર માટે સૌથી મોટી પ્રાથમિકતામાંથી એક છે. જોકોઈ અપ્રિય ઘટના બને છે તો એને જેતે દેશના સંબંધિત અધિકારીઓ સામે ઉઠાવવમાં આવે છે. કોઈ મુશ્કેલીમાં મુકાયેલા વિદ્યાર્થીની ઇમર્જન્સી મેડિકલ સારવાર, ભોજન અને આવાસ સહિત કાઉન્સેલિંગની મદદ પણ આપવામાં આવે છે.