સતત ત્રીજા દિવસે દોઢ-લાખથી વધુ કોરોનાના નવા કેસ

નવી દિલ્હીઃ દેશમાં કોરાના વાઇરસના કેસોમાં ફરી એક વાર ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોનાની સ્થિતિ બદથી બદતર થઈ રહી છે. દેશમાં કોરોનાની બીજી લહેર વધુ ઘાતક બની રહી છે. દેશમાં સતત સાતમા દિવસે એક લાખથી વધુ કોરોના વાઇરસના કેસો નોંધવામાં આવ્યા છે, જ્યારે દેશમાં સતત ત્રીજા દિવસે દોઢ લાખથી વધુ કેસ નોંધવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 1,61,736 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 879 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,36,89,453 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,71,058 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 1,22,53,697  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 97,168 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 12,64,689 પહોંચી છે. રિકવરી રેટ વધીને 89.51 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.25 ટકા થયો છે.

દેશમાં 10.85 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 10,85,33,085 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 40,04,521 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.