સિલ્ક્યારા સુરંગમાં ખોદકામ પૂરું, હવે બહાર કઢાશે મજૂરો

નવી દિલ્હીઃ ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ટનલમાં ફસાયેલા મજૂરોને બહાર કાઢવાના પ્રયાસ સતત જારી છે.  ઉત્તરાખંડની સિલ્ક્યારા સુરંગમાં ફસાયેલા 41 મજૂરોને બહાર કાઢવા માટે ચલાવવામાં આવેલું રેસ્ક્યુ ઓપરેશન પૂરું થઈ ચૂક્યું છે. વર્ટિકલ ડ્રિલિંગનું કામ પૂરું થઈ ચૂક્યું છે. મજૂરોના પરિવારજનોને પણ સુરંગ પાસે બોલાવવામાં આવ્યા છે. NDRF-SDRFની ચીમ સુરંગની અંદર દાખલ થઈ ચૂકી છે. બે એમ્બ્યુલન્સ પણ સિલ્ક્યારાની અંદર લઈ જવામાં આવી છે. સોમવારે કાટમાળને રેટ હોલ માઇનિંગ નિષ્ણાતો સ્થળે પહોંચ્યા હતા. ચારધામ યાત્રા માર્ગ પર બની રહેલી સુરંગમાં રેટ હોલ માઇનિંગના નિષણાતોની મદદ લેવામાં આવી હતી.

ઘટનાસ્થળે રાજ્યના મુખ્ય પ્રધાન પુષ્કર ધામી પણ પહોંચ્યા છે. હવે મજૂરોથી દૂરી માત્ર ત્રણ મીટર પર છે. અધિકારીઓનું કહેવું છે કે સાંજે પાંચ કલાક સુધી કોઈ પણ સમયે તેમને બહાર કાઢી લેવામાં આવશે. સિલ્ક્યારા સુરંગથી બહાર 41 એમ્બ્યુલન્સને ડોક્ટર્સની સાથે તહેનાત કરવામાં આવી છે, જેથી તત્કાળ તેમને સહાય કરવામાં આવી શકાય.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીને ફરી ફોન કરીને ટનલમાં ફસાયેલા મજૂરોની રાહત અને બચાવ કાર્ય અંગે માહિતી લીધી હતી. તેમણે કહ્યું હતું કે અંદર ફસાયેલા કામદારોની સુરક્ષાની સાથે બહાર રાહત કાર્યમાં લાગેલા લોકોની સુરક્ષા માટે પણ ખાસ કાળજી લેવી જોઈએ.પ્રાપ્ત માહિતી મુજબ માઈનીંગ વચ્ચે સિલ્ક્યારામાં વરસાદ શરૂ થયો છે. આવી સ્થિતિમાં બચાવ કાર્યમાં લાગેલી ટીમોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.