શું બિહારમાં નીતીશકુમારનો વિકલ્પ બનવા ઇચ્છે છે RCP સિંહ?

પટનાઃ બિહાર રાજકારણની પ્રયોગશાળા માનવામાં આવે છે. અહીંથી કેટલાય મોટા નેતા નીકળ્યા છે, જ્યાં શરૂ થયેલા આંદોલનોએ દેસના રાજકારણ પર અસર પડી છે. હવે રાજ્યમાં મુખ્ય પ્રધાન નીતીશકુમારને પડકાર આપવા તેમના રાઇટ હેન્ડ મનાતા આર RCP સિંહ ભાજપમાં પ્રવેશ કર્યો છે. હવે સીધો પડકાર CM નીતીશકુમાર માટે ઊભો થયો છે, પણ શું RCP સિંહ બિહારના રાજકારણના એટલા મોટા ખેલાડી છે?

RCP સિંહનું રાજકારણ જુઓ તો માલૂમ પડશે કે તેમને મળેલું પ્રમોશન નીતીશકુમારને આભારી હતું. તેઓ IAS અધિકારી હતા. તેઓ UPમાં સેવાઓ આપી રહ્યા હતા. તેઓ અને નીતીશકુમાર બિહારના નાલંદાથી આવે છે અને જાતિથી કુર્મી છે. તેમણે નીતીશકુમારના આશીર્વાદથી રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેમને JDU તરફથી રાજ્યસભામાં મોકલ્યા હતા. 2016માં તેમને ફરીથી રાજ્યસભામાં સીટ આપવામાં આવી હતી.

જોકે નીતીશકુમાર અને RCP સિંહ વચ્ચે ખટરાગ થતાં તેઓ મોદી સરકારના બીજા કાર્યકાળમાં એક વર્ષ સુધી RCP કેન્દ્રમાં મંત્રી રહ્યા હતા. આમ તો તેઓ JDUનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા, પણ તેમની અને નીતીશકુમાર વચ્ચે શકને લીધે બંને વચ્ચે અંતર વધ્યું હતું. નીતીશકુમારને લાગી રહ્યું હતું કે તેઓ ભાજપના ઇશારે JDUમાં ફૂટ પાડી રહ્યા છે. જેને લીધે નીતીશકુમારે રાજ્યસભામાં તેમની જગ્યાએ ખીરો મહતોને મોકલી દીધા. જેથી RCP  ના રાજ્યસભાના સભ્ય રહ્યા અને મંત્રીપદ ગુમાવ્યું. જે પછી તેમને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો. જે પછી નીતીશકુમારે JDUને તૂટવાથી બચાવી લીધી હતી.