ભારતમાં દરેકજણે કોરોના-રસીનો બૂસ્ટર-ડોઝ લેવો જરૂરી છે?

નવી દિલ્હીઃ ભારતના અગ્રગણ્ય વાઈરોલોજિસ્ટ્સમાંના એક, ટી. જેકબ જોનનું કહેવું છે કે કોરોનાવાઈરસ ચેપી બીમારીને રોકવા માટેની રસીના બે નિશ્ચિત કરાયેલા ડોઝ લીધા બાદ રસીનો બૂસ્ટર ડોઝ લેવો એ ખૂબ જ મહત્ત્વનું છે.

મેડિકલ સાયન્સ ક્ષેત્રમાં આપેલા યોગદાન બદલ ગઈ કાલે અહીં ડો. જેકબનું સમ્માન કરવામાં આવ્યું હતું. એમાં પોતાના સંબોધનમાં એમણે કહ્યું કે, કોરોનાવાઈરસ બીમારીનો અંત નથી આવી ગયો. તેમજ આ બીમારી હવે રોગચાળાની હાલતમાં પણ રહી નથી. જો આપણે કોવિડ-19 સામેનો જંગ જીતવો હોય તો દરેક વ્યક્તિએ રસીકરણનો સંપૂર્ણ શેડ્યૂલ (બે ડોઝ વત્તા બૂસ્ટર ડોઝ) પૂરો કરવો જોઈએ.