કોરોનાના નવા 83,809 નવા કેસ, 1054નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં રેકોર્ડ સ્તરે વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 83,809 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 1054 લોકોનાં મોત થયાં છે. દેશમાં સતત 14 દિવસથી પ્રત્યેક દિવસે 1000થી વધુ લોકોનાં મોત થઈ રહ્યાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 49,30,236 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 80,776 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 38,59,399 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 9,90,061 પહોંચી છે. રિકવરી રેટ વધીને 78 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.63 ટકા થયો છે.

5.83 કરોડ લોકોના સેમ્પલ ટેસ્ટ

દેશમાં અત્યાર સુધી 5.83 કરોડ લોકોનાં સેમ્પલનું ટેસ્ટિંગ થઈ ચૂક્યું છે, જેમાં 14 સપ્ટેમ્બરે 11 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.