કોરોનાના 7964 નવા કેસ અને 265નાં મોત

નવી દિલ્હીઃ કોરોના વાઇરસનો પ્રકોપ અટકવાનું નામ નથી લેતો. આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 1,73,763 થઈ છે અને અત્યાર સુધીમાં 4971 લોકોનાં મોત થયાં છે. પાછલા 24 કલાકમાં સૌથી વધુ નવા કેસ આવ્યા છે અને અત્યાર સુધીમાં સૌથી વધુ મોત થયાં છે. પાછલા 24 કલાકમાં 7964 નવા કેસ સામે આવ્યા છે અને 265 લોકોનાં મોત થયાં છે. આ બીમારીમાંથી 82,370 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. રિકવરી રેટ વધીને 47.40 ટકા થયો છે.  

મહારાષ્ટ્રમાં 2682 નવા કેસ

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 62,000ને પાર થઈ ગઈ છે અને રાજ્યમાં આ વાઇરસથી મરનારા લોકોની સંખ્યા 2000ને પાર થઈ ગઈ છે. રાજ્યમાં 2682 નવા કેસ આવ્યા છે, જ્યારે એક જ દિવસમાં 116 લોકોનાં મોત થયાં છે.  જ્યારે મુંબઈમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 36,932 થઈ ગઈ છે અને 1173 લોકોનાં મોત થયાં છે. મુંબઈમાં કોરોનાના 1447 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 38 લોકોનાં મોત થયાં છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.