કોરોનાનો અંત 29 મેએઃ ભારતીય ટેણીયાની આગાહી

અમદાવાદઃ યુટ્યુબ ચેનલ કોન્શિયન્સ (અંતરાત્માના અવાજ) પર 22 ઓગસ્ટ, 2019એ 14 વર્ષીય અભિજ્ઞા આનંદે ભવિષ્ય ભાખ્યું હતું કે વિશ્વ નવેમ્બર, 2019થી એપ્રિલ, 2020ના દરમ્યાન કપરા તબક્કાનો સામનો કરશે. આ છ મહિનાના સમયગાળામાં વૈશ્વિક રોગચાળો ફેલાશે અને વિશ્વમાં મોટું ટેન્શન ઊભું થશે. વળી ,31 માર્ચે આ રોગચાળો તેની ચરમસીમાએ પહોંચશે અને વિશ્વભરના ટેન્શનમાં ઓર વધારો થશે. જોકે 29 મેએ આ ધરતી પરથી આ મુશ્કેલ સમયગાળો દૂર થશે, પૃથ્વી પરથી આ વૈશ્વિક રોગચાળામાં ઘટાડો થશે અને આ રોગને નાથવા માટેની અસરકારક કામગીરી કરવામાં આવી હશે.

આનંદનું વિલક્ષણ બુદ્ધિચાતુર્ય જન્મજાત

આનંદ એક જન્મજાત ટેલેન્ટેડ કિશોર છે અને અનેક મેગેઝિનોમાં તેના વિશે ઘણુંબધું લખાઈ ચૂક્યું છે. અત્રે એ ઉલ્લેખનય છે કે 2013માં ભારતનો આવનારો સમય કેવો રહેશે એ માટે તેની ભવિષ્ય ભાખવાની કુશળતા (જ્યોતિષ કળા)નો ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને તેના જ્યોતિષ વિદ્યા (એસ્ટ્રોલોજી)ના જ્ઞાન (નોલેજ) પર ઘણાબધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા, કેમ કે લોકો આ બાળકના હજી રમવાકૂદવાના દિવસો માનતા હતા. તેણે જ્યોતિષ વિદ્યાના ઉપયોગ કરીને સોના-ચાંદીના ભાવ અને ભારત સંબંધિત અન્ય પ્રવૃત્તિઓની આગાહી કરી હતી.

કોરોના વાઇરસની આગાહી

કોરોના વાઇરસ વિશે તેણે કહ્યું હતું કે એ એક વૈશ્વિક યુદ્ધ હશે. એ યુદ્ધ વાઇરસ અને માનવતા વચ્ચેનું હશે અને આ યુદ્ધમાં સરકારો પણ સામેલ હશે એમ તેણે ભાખ્યું હતું, પ એક વાત સ્ફષ્ટ છે કે આ યુદ્ધ અજાણ્યા શત્રુ (વાઇરસ) સામે હશે, એમ તેણે ઉમેર્યું હતું.

ગ્રહોની માયાજાળ

આનંદે જ્યોતિષ વિદ્યાને આધારે અનુસાર 31 માર્ચે ચરમસીમા કેમ માની રહ્યો હતો- તેણે કહ્યું હતું કે મંગળ શનિ અને ગુરુ એકસાથે આવશે અને ચંદ્ર અને રાહુની પણ યુતિ થશે. વળી રાહુ ચંદ્રના ઉત્તર બાજુ રહેશે.

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આ એક દુર્લભ ઘટના છે, કેમ કે મંગળ, શનિ અને ગુરુ સૌથી શક્તિશાળી ગ્રહો છે- એમ માનવામાં આવે છે, કેમ કે આ બધા ગ્રહો સોલર સિસ્ટમની બાહ્ય ધરી પર છે, જેથી તેમનો પ્રભાવ આ સમયગાળામાં પૃથ્વી પર પ્રચંડ રીતે પડશે.

ચંદ્ર અને રાહુની યુતિ

બીજી બાજુ ચંદ્ર અને રાહુની યુતિ પણ છે. એ પણ એક શક્તિશાળી યુતિ છે (એટલે મોટી ખાનાખરાબી સર્જી શકે ) કેમ કે ચંદ્ર એ પાણીનો (મનનો કારક ગ્રહ) પ્રભાવિત ગ્રહ છે. એની સાથે રાહુ પણ પૃથ્વીને પ્રભાવિત કરનારો ગ્રહ છે. જ્યોતિષની દ્રષ્ટિએ આ સમયગાળા દરમ્યાન પાણીના રોગથી (શરદી, ખાંસી અને તાવ)થી આ રોગચાળોનો ફેલાવો થશે, એમ તેણે ભાખ્યું હતું. આ સમય દરમ્યાન એકકમેકથી સામાજિક અંતર મહત્ત્વપૂર્ણ રાખવું પડશે. તેણે આ સમયગાળો 31 માર્ચથી એક એપ્રિલ આસપાસનો કહ્યો હતો.

જ્યોતિષ શાસ્ત્રની સમજ મુજબ 29 મેએ આ ગ્રહોની યુતિ તૂટશે અને આ રોગને નાથવા (સારવાર) માટેની સારવાર (દવા) શોધાશે. આ સમયગાળાથી આ રોગચાળામાં ઘટાડો થશે. અર્થતંત્રની વાત કરીએ તો આર્થિક મંદીનો અંત નવેમ્બર, 2021માં આવશે.