કોરોનાના 43,893 નવા કેસો, 509નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જોકે દેશમાં કોવિડ-19ના કુલ મામલા 79 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 43,893 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 509 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 79,90,322 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,20,010 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 72,59,509 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 63,842 દર્દીઓ ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 6,10,803એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 90 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.50 ટકા થયો છે.

કોરોના વાઇરસનો હવે પ્રોટીનની મદદથી શરીરમાં પ્રવેશ

ભારત  સહિત દુનિયામાં કોરોના ધીમો પડ્યો છે. પરંતુ અનેક વાર પોતાનું સ્વરૂપ બદલનારા કોરોના વાઇરસે સંક્રમણની પણ નવી રીત શોધી લીધી છે. કોરોનાની માનવ શરીરમાં પ્રવેશવાની નવી રીત જાણવા મળી છે.

વૈજ્ઞાનિકોએ તેમના સંશોધનમાં શોધી કાઢ્યું છે કે કોરોના વાઇરસ હવે પ્રોટીનની મદદથી શરીરમાં પ્રવેશ કરી રહ્યો છે. આ ખાસ પ્રોટીન આ માટે કોરોના વાઇરસને રસ્તો આપે છે. આ સંશોધન સાયન્સ જર્નલમાં પ્રકાશિત થયું છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.