ભારતમાં 24 કલાકમાં કોરોનાના 3525 નવા કેસ, 122નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસ મહાબીમારીના કેસની સંખ્યામાં સતત વધારો ચાલુ જ રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યા વધીને 74,281 થઈ ગઈ છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધીમાં 2415 જણના મોત થયાં છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3525 નવા કેસ નોંધાયા હતા અને 122 જણના મોત થયાં છે. આ બીમારીમાંથી અત્યાર સુધી 24,386 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. જ્યારે રિકવરી રેટ સુધરીને 32.82 ટકા થયો છે.

કોરોના વાઇસર ગ્રામીણ વિસ્તારોમાં પ્રસર્યો

કોરોના વાઇરસ ધીમે-ધીમે ગ્રામીણ વિસ્તારોમાં પ્રસરી રહ્યો છે. જે જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાઇરસના કેસ નહોતા ત્યાં આ વાઇરસ પ્રસરી રહ્યો છે. પહેલી મે પછી મધ્ય પ્રદેશના આઠ નવા જિલ્લામાં કોરોના નવા કેસ નોંધાયા છે. આ જિલ્લામાં આશરે 50 નવા કેસ થયા છે. રાજસ્થાનના બે નવા ગ્રામીણ જિલ્લામાં તાજેતરના દિવસોમાં પહોચ્યો છે. રાજસ્થાનના કુલ કોરોના કેસમાં 10 ટકા ગ્રામીણ વિસ્તારોમાંથી કેસ નોંધાયા છે. છેલ્લા કેટલાક દિવસોમાં બિહારમાં કોરોનાના કુલ નવા કેસો નોંધાયા એમાં 65 ટકા કેસો તો ગ્રામીણ અને અર્ધશહેરી વિસ્તારોના છે.

દેશમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોવાર કોરોના કેસોની સંખ્યા નીચે મુજબ છે.