NEET વિવાદ મુદ્દે CBIની તપાસ તેજ, 4 આરોપીના રિમાન્ડ મંજૂર..

NEET UG પેપર લીક મામલે CBIની તાપસ ચાલી રહી છે. NEET પેપર કાંડને લઈ કેટલાક કનેક્સન ગુજરાતથી પણ જોડાયેલા છે. ત્યારે CBI ફરી એક આરોપીને ઝડપી પાડ્યો છે. CBI એ NEET પેપર લીક મામલે હજારી બાગથી પત્રકાર જમાલુદ્દીનની ધરપકડ કરી છે. હાલ સુધીમાં NEET પેપર લીક મામલે CBIની આ 5મી ધરપકડ છે. આ પહેલા CBIએ ઓએસિસ સ્કૂલ હજારીબાગના પ્રિન્સિપાલ એહસાન ઉલ હક, વાઈસ પ્રિન્સિપાલ ઈમ્તિયાઝ આલમ, મનીષ અને આશુતોષની ધરપકડ કરી હતી. પત્રકાર જમાલુદ્દીનકથિત રીતે ડો. હક અને આલમની મદદ કરી રહ્યો હતો.

આ મામલે તપાસ દરમિયાન CBIની ટીમે પ્રિન્સિપાલ એહસાન ઉલ હક સાથે બે પત્રકારોનું કનેક્શન પણ ટ્રેક કર્યું હતું. એક પત્રકાર જમાલુદ્દીનની ધરપકડ કરી લેવામાં આવી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે ધરપકડ કરવામાં આવેલ પત્રકાર ઝારખંડના એક હિન્દી દૈનિક અખબાર સાથે સંકળાયેલો છે. આ ઉપરાંત NEET પેપર લીક મામલે કેટલાક બીજા લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે અને ધરપકડ થવાની સંભાવના છે.

પ્રિન્સિપાલની તાપસ દરમિયાન જાણવા મળ્યું કે પત્રકાર અને પ્રિન્સિપાલ વચ્ચે સતત વાતચીત ચાલી રહી હતી. અહેસાન ઉલ હકની કોલ ડિટેઈલના આધાર પર પત્રકારને CBI દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. CBIનું NEET કેસમાં ગુજરાતમાં 7 સ્થળો પર સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. CBI પહેલાથી જ સંજીવ મુખિયાના બે સ્પેશિયલ મેમ્બર ચિન્ટુ અને મુકેશને રિમાન્ડ પર લઈને પૂછપરછ કરી રહી છે. CBIને શંકા છે કે હજારીબાગની ઓએસિસ સ્કૂલમાંથી જ NEETનું પેપર લીક થયું હતું અને એહસાન-ઉલ-હક અને ઈમ્તિયાઝ આલમની તેમાં ભૂમિકા હતી. લીક થયા બાદ NEET પરીક્ષાનું પેપર માફિયા સંજીવ મુખિયા સુધી પહોંચ્યું હતું.

આરોપીઓના રિમાન્ડને મળી મંજૂરી

સીબીઆઇ દ્વારા ઝડપાયેલા 4 આરોપીઓના 4 દિવસના રિમાન્ડની કોર્ટ સમક્ષ માગ કરાઈ હતી. ગોધરા ચીફ કોર્ટમાં સીબીઆઇની રિમાન્ડ અરજી પર સુનાવણી થઈ હતી. જેમાં સીબીઆઇ દ્વારા આરીફ વોરા, તુષાર ભટ્ટ, વિભોર આનંદ અને પરષોત્તમ શર્માની 4 દિવસની રિમાન્ડ અરજી કરાઈ હતી. ગોધરા ચીફ કોર્ટ દ્વારા 4 આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરતા સીબીઆઇ દ્વારા તમામ 4 આરોપીઓની કસ્ટડી મેળવવામાં આવી છે. સીબીઆઇ દ્વારા આ તમામ 4 આરોપીની સઘન પૂછપરછ કરવામાં આવશે.