કોરોનાના 9216 નવા કેસ, 391નાં મોત

નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકામાં નવા વેરિયેન્ટ મળ્યા પછી દેશમાં પણ સતર્કતા વર્તવામાં આવી રહી છે. હવે વેરિયન્ટ ભારત પહોંચી ચૂક્યો છે. અત્યાર સુધી દેશમાં કોરોનાના નવા વેરિયેન્ટ ઓમિક્રોનના બે કેસ નોંધાઈ ચૂક્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 9216 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 391 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,46,15,757 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,70,115 લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,40,45,666 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 8612 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 99,776એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 98.35 ટકાએ પહોંચ્યો છે, જે માર્ચ, 2020 પછી સૌથી વધુ છે. મૃત્યુદર ઘટીને 1.36 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 11,57,156 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 63.34 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 125.75 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,25,75,05,514 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 73,67,230 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.