કોરોનાના 7974 નવા કેસ, 343નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વેરિયેન્ટના નવા ઓમિક્રોનથી સંક્રમિત થનારા દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. હવે એ દેશના 11 રાજ્યોમાં પ્રસરી ચૂક્યો છે. આ સાથે દેશમાં ઓમિક્રોનના કુલ સંક્રમિતોની સંખ્યા 73 થઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 7974 નવા કેસ સામે આવ્યા છે. જે ગઈ કાલની તુલનાએ 20.7 ટકા વધુ છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 343 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,47,18,602 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,76,478 લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,41,54,879 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 7948 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 87,245એ પહોંચી છે, જે 571 દિવસોમાં સૌથી ઓછા છે. રિકવરી રેટ વધીને 98.38 ટકાએ પહોંચ્યો છે, જે માર્ચ, 2020 પછી સૌથી વધુ છે. મૃત્યુદર ઘટીને 1.37 ટકા થયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 12,16,011 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 60.01 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 135.25 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,35,25,36,986 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 60,12,425 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.