કોરોનાના 65,000 નવા કેસ, 996નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી કુલ કેસોની સંખ્યા 25 લાખને પાર થઈ છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 65,002 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 996 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 25,26,192 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 49,036 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 18,08,936 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 6,68,220 પહોંચી છે. દેશમાં સક્રિય કેસની 26.45 ટકા છે અને મૃત્યુદર 1.94 ટકા છે. રિકવરી રેટ 70.77 ટકાએ પહોંચ્યો છે.

કોરોના વેક્સિન પર કામ જારી

વડા પ્રધાને આજે લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે કોરોના વાઇરસની એક નહીં, બે નહીં, ત્રણ-ત્રણ વેક્સિન ટેસ્ટિંગના તબક્કામાં છે. વૈજ્ઞાનિકોને લીલી ઝંડી મળશે. દેશ આ વેક્સિનનું મોટા પાયે ઉત્પાદનની પણ તૈયારી છે. દેશના દરેક જરૂરતમંદ  સુધી વેક્સિન પહોંચાડવાની રૂપરેખા તૈયાર છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.