કોરોનાના 47,905 નવા કેસો, 550નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 86 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 47,905 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 550 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 86,83,916 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,28,121  લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 80,66,501 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 52,718 દર્દીઓ ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 4,89,294એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 92.56 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.48 ટકા થયો છે.

 

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.