કોરોનાના સૌથી વધુ 40,715ના નવા કેસ, 199નાં મોત 

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 40,715 નવા કેસ સામે આવ્યા છે, આ સાથે છેલ્લા 24 કલાકમાં 199 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,16,86,796 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,60,166 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 1,11,81,253 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 29,785 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 3,45,377 પહોંચી છે. રિકવરી રેટ વધીને 95.67 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.37 ટકા થયો છે.

દેશમાં 4.85 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 4,84,94,594 લાખ લોકોને કોરોનાની રસી  આપવામાં આવી ચૂકી છે.  ગઈ કાલે 32,53,095 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.