કોરોનાના 3805 નવા કેસ, 22નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના નવા કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3805 નવા કેસ નોંધાયા છે, છેલ્લા કલાકમાં 22 લોકોનાં મોત થયાં છે, દેશમાં અત્યાર સુધીમાં 190થી વધુ કરોડ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,30,98,743 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.

દેશમાં અત્યાર સુધી 5,24,024 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,25,54,416 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 3168 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 20,303એ પહોંચી છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.74 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.22 ટકા થયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 4,87,544 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 84.05 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ વધીને 0.98 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.76 ટકા છે.

દેશમાં 190 લાખ રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 1,90,00,94,982 લાખ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 17,49,063 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.