કોરોનાના 36,571 વધુ નવા કેસ, 540નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના નવા કેસો આજે પણ ફરી 40,000ની નીચે આવ્યા છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 36,571 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 540 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,23,58,829 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,33,589 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,15,61,635 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 36,555 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ  આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 3,63,605એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 97.54 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.34 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 18,86,271 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 50.26 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 57.22 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 57,22,81,488 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 54,71,282 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.