કોરોનાના 3,62,727 વધુ નવા કેસ, 4120નાં મોત 

નવી દિલ્હીઃ દેશમાં બીજી લહેર કહેર વરસાવી રહી છે. દેશમાં કોરાના વાઇરસના કેસોમાં ફરી એક વાર નિરંતર વધારો થઈ રહ્યો છે. દેશમાં બે દિવસ કોરોનાના કેસોમાં ઘટાડા પછી ફરી એક વાર વધારો નોંધાયો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 3,62,727 નવા કેસ સામે આવ્યા છે.  છેલ્લા 24 કલાકમાં 4120 લોકોનાં મોત થયાં છે, દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 2,37,03,665 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 2,58,317 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 1,97,34,823  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 3,52,181 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 37,10525એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 83.26 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.09 ટકા થયો છે.

દેશમાં 17.72 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 17,72,14,256 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 18,94,991 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.