કોરોનાના 2,76,110 વધુ નવા કેસ, 3874નાં મોત 

 નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસોમાં ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્યો છે. બીજી લહેરનું પિક પૂરું થઈ ચૂક્યું હોય એવું લાગી રહ્યું છે.  આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 2,76,110 નવા કેસ સામે આવ્યા છે, જે ગઈ કાલ કરતાં વધુ છે.  છેલ્લા 24 કલાકમાં 3876 લોકોનાં મોત થયાં છે, દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 2,57,72,440 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 2,87,122 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 2,23,55,440  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 3,69,077 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 31,29,878એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 86.74 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.11 ટકા થયો છે.

દેશમાં 18.70 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 18,70,09,792 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 11,66,090 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.