કોરોનાના 18,840  નવા કેસ, 43નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 18,840 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 43 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 198.65થી કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,35,04,394 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.

છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કોરોના સંક્રમણના કેસો કેરળમાં નોંધાયા છે. કેરળમાં 3310 કેસો નોંધાયા છે. મહારાષ્ટ્રમાં 2944 નવા કેસો નોંધાયા છે. પશ્ચિમ બંગાળમાં 2950 અને તામિલનાડુમાં 2722 નવા કેસ નોંધવામાં આવ્યા છે.દેશમાં અત્યાર સુધી 5,25,386 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,29,53,980 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 16,104 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1,25,028એ પહોંચી છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.51 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.20 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 4,54,778 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 86.60 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 4.14 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 4.09 ટકા છે.

દેશમાં 198.65 લાખ રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 1,98,65,36,288 લાખ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 12,26,795 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.