કોરોનાના 1549 નવા કેસ, 31નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના નવા કેસોમાં ઘટાડો થયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 1549 નવા કેસ નોંધાયા છે. જેમાં ગઈ કાલની તુલનાએ 18 ટકાનો ઘટાડો નોંધાયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 31 લોકોનાં મોત થયાં છે. દેશમાં સક્રિય કેસો 30,000ની નીચે છે. રાષ્ટ્રીય રસીકરણ ઝુંબેશ હેઠળ અત્યાર સુધી 181.24 કરોડ લોકોને રસી આપવામાં આવી ચૂકી છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 4,30,09,390 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.

દેશમાં અત્યાર સુધી 5,16,510 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,24,67,774 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 2652 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 25,106એ પહોંચી છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.74 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.20 ટકા થયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 3,84,499 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 78.23 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ વધીને 0.40 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.40 ટકા છે.

 દેશમાં 181.24 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,81,24,97,285 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 2,97,285 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.