કોરોનાના 15,223 નવા કેસ, 151નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરાના વાઇરસના કેસમાં નિરંતર ઘટાડો થઈ રહ્યો છે. નવા કેસોની સાથે મૃતકોની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 1.06 કરોડને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 15,223 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 151 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,06,10,883 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,52,869 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 1,02,65,706  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 19,965 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 1,92,308એ પહોંચી છે.  રિકવરી રેટ વધીને 96.69 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.44 ટકા થયો છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.