કોરોનાના 1,27,510 વધુ નવા કેસ, 2795નાં મોત 

 નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. કોરોનાની બીજી લહેર નબળી પડતી દેખાઈ રહી છે. ફરી એક વાર બે લાખથી ઓછા કેસ નોંધવામાં આવી રહ્યા છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 1,27,510 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 2795 લોકોનાં મોત થયાં છે, દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 2,81,75,044 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 3,31,895 લોકોનાં મોત થયાં છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં સતત 19મા દિવસે સંક્રમણમુક્ત થનારા લોકોની સંખ્યા નવા કેસોથી વધુ રહી છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 2,59,47,629  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 2,55,287 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 18,95,520એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 92.09 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે.

દેશમાં અત્યાર સુધી 34,67.92,257 સેમ્પલોની કોવિડ-19 સંબંધી તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 19,25,374 સેમ્પલોની તપાસ સોમવારે કરવામાં આવી હતી.  છેલ્લા 11 દિવસોથી પોઝિટિવિટી રેટ 10 ટકાની નીચે છે. પોઝિટિવિટી રેટ 9.07 ટકા છે.  દેશમાં 21.60 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 21,60,46,638 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 27,80,058 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.