કોરોનાના 11,713 નવા કેસ, 95નાં મોત 

નવી દિલ્હીઃ દેશમાં કોરાના વાઇરસના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. નવા કેસોની સાથે મૃતકોની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 1.08 કરોડને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 11,713 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 95 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,08,14,304 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,54,918 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 1,05,10,796  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 14,488 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 1,48,590 પહોંચી છે. રિકવરી રેટ વધીને 97.20 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.43 ટકા થયો છે.

દેશમાં 54 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 54,16,849 લાખની આસપાસ લોકોને કોરોનાની રસી  આપવામાં આવી ચૂકી છે. કોરોના વેક્સીનની વાત કરવામાં આવે તો શુક્રવારે 4,57,404 લોકોની વેક્સીન આપવામાં આવી હતી. કોરોનાના ટેસ્ટની વાત કરવામાં આવે તો પાંચમી ફેબ્રુઆરીના રોજ દેશમાં કોરોનાના 7,40,794 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે દેશમાં અત્યારસુધી કુલ 20,06,72,589 સેમ્પલની તપાસ કરવામાં આવી છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.