દાદાસાહેબ ફાળકે પુરસ્કાર મળ્યા બાદ ગદગદ થયા મિથુન ચક્રવર્તી

મુંબઈ: બોલિવૂડ એક્ટર મિથુન ચક્રવર્તીને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. 8 ઓક્ટોબર 2024 ના રોજ 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ દરમિયાન ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને દાદાસાહેબ ફાળકે એવોર્ડ આપ્યો. ભારતીય સિનેમાની દુનિયાનો સૌથી મોટો એવોર્ડ મળ્યા બાદ મિથુન ચક્રવર્તી ખૂબ જ ઉત્સાહિત છે અને તેણે પોતાની ખુશી પણ વ્યક્ત કરી છે. 350 થી વધુ ફિલ્મોમાં કામ કરી ચુકેલા મિથુન ચક્રવર્તીએ વર્ષોની મહેનત અને સતત પોતાની કળામાં સુધારો કરીને દર્શકોના દિલ જીતીને આ એવોર્ડ મેળવ્યો છે. એવોર્ડ મળ્યા બાદ અભિનેતાની પ્રથમ પ્રતિક્રિયા પણ સામે આવી છે, જ્યાં તેણે કહ્યું કે ભગવાને તેણે ઉઠાવેલી સમસ્યાઓનું વ્યાજ સાથે ફળ આપ્યું છે.

મિથુને ખુશી વ્યક્ત કરી

દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળવાની ખુશી વ્યક્ત કરતાં મિથુન ચક્રવર્તીએ કહ્યું,હું શું કહું, હું હજી સુધી બરાબર પચાવી શક્યો નથી, હું હજી પણ એ જ હેંગઓવરમાં છું. હું માત્ર એટલું જ કહી શકું છું કે આટલું મોટું સન્માન મેળવવા બદલ તમારો આભાર. મેં ગમે તેટલી તકલીફો સહન કરી હોય, ભગવાને મને કદાચ વ્યાજ સાથે તેનું ફળ આપ્યું પાછું આપ્યું છે. મિથુન ચક્રવર્તીએ યુવાનો માટે પણ ખાસ સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું,’જુઓ, બધા સપના જુએ છે, હું જાણું છું કે ઘણા પ્રતિભાશાળી બાળકો છે, પરંતુ પૈસાની અછત છે, તેમ છતાં હિંમત હારશો નહીં, આશા છોડશો નહીં, સપના જોવાનું બંધ કરશો નહીં.’

આગામી ફિલ્મો અંગે મિથુન ચક્રવર્તીએ કહ્યું કે,’હું કંઈપણ પ્લાન કરતો નથી.’ તેમણે વધુમાં કહ્યું કે,’ફિલ્મ પહેલા અઠવાડિયામાં ફ્લોપ થઈ ગઈ હતી. લોકોએ કહ્યું કે તે આંગળીઓ ઉંચી કરીને કેવો ડાન્સ કરી રહ્યો છે, પરંતુ પછી લોકો સમજી ગયા અને તેને અપનાવવા લાગ્યા અને તે એક તબક્કો બની ગયો અને આ તબક્કો હજુ પણ ચાલુ છે. આ ડાન્સ મૂવ હજુ પણ ચાલે છે, લોકો તેની નકલ કરે છે અને વિદેશોમાં તે અલગ વાત છે.

પદ્મભૂષણ જ્યારે મળ્યો તે અંગેની લાગણી વ્યક્ત કરતા મિથુન ચક્રવર્તીએ કહ્યું,’ જ્યારે દરેકને પદ્મ ભૂષણ મળી રહ્યો હતો મને લગાતું કે મને કેમ નથી મળી રહ્યો, મારાથી નાના કલાકારોને પણ મળી રહ્યો છે, હું વિચારતો હતો કે મને કેમ નથી મળી રહ્યો. અને આખરે જ્યારે મને તે સન્માન મળ્યું, ત્યારે મને ખૂબ જ ગમ્યું.