છત્તીસગઢમાં મોટો નક્સલી હુમલો, 3 જવાનો શહીદ, 14 ઘાયલ

છત્તીસગઢના બીજાપુરમાં ફરી નક્સલી હુમલો થયો છે. આ હુમલામાં ભારતીય સેનાના ત્રણ જવાન શહીદ થયા છે જ્યારે 14 જવાનો ઘાયલ થયા છે. ઘાયલ જવાનોને સારવાર માટે રાયપુર મોકલવામાં આવ્યા છે. એન્કાઉન્ટર હજુ ચાલુ છે. મળતી માહિતી મુજબ આ હુમલો કોબ્રા-STF-DRG જવાનો પર કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2001માં પણ નક્સલવાદીઓએ આ જ જગ્યાએ હુમલો કર્યો હતો.

આ પહેલા પણ નક્સલીઓ દ્વારા અનેક વખત ભારતીય સેના પર હુમલાઓ કરવામાં આવ્યા છે.