કેરળ હવે ‘કેરળમ’ તરીકે ઓળખાશે, મોદી કેબિનેટે આપી મંજૂરી

કેન્દ્રીય કેબિનેટે કેરળનું નામ બદલીને કેરળમ કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, ભાષાના આધારે રાજ્યની રચના થઈ ત્યારથી જ કેરળનું નામ કેરળમ રાખવાની માંગ કરવામાં આવી રહી છે. કેબિનેટે આ માંગણીને મંજૂરી આપી છે.

કેન્દ્ર સરકાર તરફથી આ નિર્ણય અંગે માહિતી આપતા Ashwini Vaishnaw એ જણાવ્યું કે રાજ્ય સરકાર તરફથી મળેલા પ્રસ્તાવ પર વિસ્તૃત ચર્ચા કર્યા બાદ તેને મંજૂરી આપવામાં આવી છે. તેમણે કહ્યું કે આ બદલાવ રાજ્યની ભાષા અને સંસ્કૃતિ સાથે જોડાયેલ ઓળખને વધુ મજબૂત બનાવશે.

રાજકીય વિશ્લેષકોના મત અનુસાર, April-May દરમ્યાન યોજાનાર વિધાનસભા ચૂંટણી પહેલાં આ નિર્ણયનું ખાસ રાજકીય મહત્વ છે. Kerala માં આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર માટે આ પગલું પ્રતિષ્ઠાનો મુદ્દો માનવામાં આવે છે. આ નિર્ણયથી સ્થાનિક જનતા વચ્ચે સકારાત્મક સંદેશ જવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.