કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. કેજરીવાલે દારૂ નીતિ કેસમાં તેમની ધરપકડ અને પીએમએલએ કોર્ટના રિમાન્ડના આદેશને પડકાર્યો છે. આ કેસમાં અરવિંદ કેજરીવાલની દલીલ એવી છે કે તેમની ધરપકડ અને રિમાન્ડના આદેશ બંને ગેરકાયદેસર છે અને તેઓ તાત્કાલિક કસ્ટડીમાંથી મુક્ત થવાને પાત્ર છે. ચીફ જસ્ટિસ પાસે રવિવાર સુધીમાં તાત્કાલિક સુનાવણીની માંગ કરવામાં આવી છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ED વતી પોતાની ધરપકડ અને રિમાન્ડને હાઈકોર્ટમાં પડકાર્યો છે. એક દિવસ પહેલા, દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલને રાહત આપવાનો ઇનકાર કર્યો હતો અને તેમને 28 માર્ચ સુધી ED કસ્ટડીમાં મોકલી દીધા હતા. હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં તેમના વતી દલીલ કરવામાં આવી છે કે EDના ધરપકડ અને રિમાન્ડના આદેશ બંને ગેરકાયદેસર છે. આવી સ્થિતિમાં તે તાત્કાલિક ઇડીની કસ્ટડીમાંથી મુક્ત થવાને પાત્ર છે. કેજરીવાલ વતી હાઇકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ પાસે રવિવાર 24 માર્ચ સુધી તાત્કાલિક સુનાવણીની માંગ કરવામાં આવી છે.