તાન્હાજીએ 11 મા દિવસે ય કર્યું જોરદાર પર્ફોમઃ કરોડોની કમાણી

નવી દિલ્હીઃ અજય દેવગણ, કાજોલ અને સૈફ અલી ખાનની ફિલ્મ તાન્હાજીઃ ધ અનસંગ વોરિયરે 11 મા દિવસે પણ બોક્સ ઓફિસ પર કમાણીમાં બટાઝટી બોલાવી છે. ખાસ વાત તો એ છે કે 11 મા દિવસે પણ અજય દેવગણની તાન્હાજીની કમાણીમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી. દેશમાં થઈ રહેલા સીએએ અને એનઆરસીના વિવાદ છતા પણ તાન્હાજીએ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. બોક્સ ઓફિસ ઈન્ડિયાની વેબસાઈટ અનુસાર જય દેવગણની તાન્હાજીએ ગત સોમવારના રોજ 8 કરોડ રુપિયાની કમાણી કરી. ત્યારે આવામાં અજય દેવગણની ફિલ્મે 11 દિવસમાં જ 175.45 કરોડ રુપિયાનું કલેક્શન કર્યું છે.

બોક્સ ઓફિસ ઈન્ડિયાની વેબસાઈટ અનુસાર, અજય દેવગણની તાન્હાજી ફિલ્મ પોતાની તોફાની કમાણીથી મિશન મંગળ, ગુડ ન્યૂઝ અને ભારતને પણ પાછળ છોડી શકે છે. સાથે જ માનવામાં આવી રહ્યું છે કે, ત્રીજા સપ્તાહની શરુઆતમાં જ તાન્હાજી 200 કરોડ રુપિયાનો આંકડો પાર કરી લેશે. અજય દેવગણની તાન્હાજી ફિલ્મે બીજા શુક્રવારના રોજ 10.06 કરોડ, શનિવારના રોજ 16.36 કરોડ અને રવિવારના રોજ 23 કરોડ રુપિયાનું કલેક્શન કર્યું છે.

અજય દેવગણની ફિલ્મ તાન્હાજીને ક્રીટિક્સે સામાન્ય પ્રતિક્રિયા આપી હતી પરંતુ આમ છતા પણ ફિલ્મ બોક્સ ઓફિસ પર સતત શાનદાર પ્રદર્શન કરી રહી છે. ફિલ્મમાં અજય દેવગણ સાથે કાજોલ પણ લીડમાં છે. ફિલ્મમાં અજય દેવગણ છત્રપતિ શિવાજીના સેનાપતિ સૂબેદાર તાન્હાજી માલુસરેના પાત્રમાં દેખાઈ રહ્યા છે. ફિલ્મમાં અજય દેવગણ અને કાજોલ સિવાસ સૈફ અલી ખાન, પંકજ ત્રિપાઠી અને શરદ કેલકર મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યા છે.