ભારત-અમેરિકા સંબંધ વિશ્વના ભવિષ્ય માટે મહત્ત્વનાઃ ગાર્સેટી

વોશિંગ્ટનઃ અમેરિકાના એમ્બેસેડર એરિક ગાર્સેટીએ કહ્યું હતું કે અમેરિકા અને ભારતના સંબંધ વિશ્વ માટે મહત્ત્વના છે. તેમણે કહ્યું હતું કે ભારત અને અમેરિકા આજે જેટલા મુદ્દા પર નિકટતાથી કામ કરી રહ્યા છે, આવું પહેલાં ક્યારેય નથી થયું.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડનના નજીકના સહયોગી ગાર્સેટી (52)એ ગયા મહિને ભારતમાં  અમેરિકાના એમ્બેસેડર તરીકે સત્તાવાર રીતે શપથગ્રહણ કર્યા હતા. અમેરિકા માટે સૌથી મહત્ત્વના પદોમાં સામેલ આ પદ પરની નિયુક્તિ બે વર્ષથી વધુ સમય પછી થઈ હતી. તેમણે કહ્યું હતું કે ભારત અને અમેરિકા મળીને જે પગલાં લેશે, એને તેઓ આ G-20 વર્ષ  અને એના પછી 21 સદીને આકાર આપશે.

ગાર્સેટીએ કોંગ્રેશનલ ઇન્ડિયા કોક્સના સહ અધ્યક્ષ રો ખન્ના અને માઇકલ વાલ્ત્જ દ્વારા આયોજિત ભારત-અમેરિકા શિખર સંમેલનમાં પ્રતિષ્ઠિત ભારતીય-અમેરિકનોની સભાને સંબોધિત કરતાં કહ્યું હતું કે વિશ્વમાં કેટલાક એવા સંબંધ છે, જે અમેરિકા અને ભારત માટે વધુ મહત્ત્વના છે. ભારત-અમેરિકા સંબંધ વિશ્વના ભવિષ્ય માટે મહત્ત્વના છે. જેવી રીતે રાષ્ટ્રપતિ બાઇડને કહ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચે ભાગીદાર છે. ગાર્સેટીએ કહ્યું હતું કે ભારત જતાં પહેલાં મેં અમેરિકા અને ભારતના સંબંધોને લઈને રાષ્ટ્રપતિ બાઇડનના વિચારો માટે તેમની સાથે વાતચીત કરી હતી. તેમણે એ વાત પર ભાર મૂક્યો હતો કે આ સંબંધ કેટલા મહત્ત્વના છે. આ સંબંધ બંને દેશો માટે વધુ મહત્ત્વના છે.