મોરોક્કોમાં રોડ અકસ્માતમાં 24 લોકોનાં મોત

નવી દિલ્હીઃ મધ્ય મોરોક્કોમાં થયેલી બસ દુર્ઘટનામાં 24 લોકોનાં મોત થયાં છે. આ ઘટના મોરોક્કોના અજિલાલ પ્રાંતમાં થઈ છે, જે હાલનાં વર્ષોમાં દેશની સૌથી મોટી દુર્ઘટનાઓમાંની એક છે. મોરોક્કોની સત્તાવાર ન્યૂઝ જન્સી મેપ (MAP)ના જણાવ્યા મુજબ આ બસ દુર્ઘટના એ સમયે બની હતી, જ્યારે પ્રવાસીઓ ભરેલી એક બસ અચાનક પલટી ગઈ હતી. આ બસ સ્પીડમાં જઈ રહી હતી અને પહાડી વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી.

એ દરમ્યાન એક વળાંક પર ડ્રાઇવરે બેલેન્સ ગુમાવ્યું હતું કે ત્યાર બાદ આ બસ પલટીને ખીણમાં પડી હતી. આ બસ ડેમનાટે જઈ રહી હતી. આ દુર્ઘટના પછી રાહત બચાવ કાર્ય ઝડપથી શરૂ કરવામાં આવ્યું હતું. આ દુર્ઘટનાનાં કારણો માલૂમ કરવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. ગયા વર્ષે ઓગસ્ટમાં કાસાબ્લાન્કામાં થયેલી બસ દુર્ઘટનામાં 23 લોકોનાં મોત થયાં હતાં. આ પહેલાં 2015માં એક સેમી ટ્રેલર ટ્રક અને બસની ટક્કર થઈ હતી, જેમાં 33 લોકોનાં મોત થયાં હતાં.

યુવા એથ્લીટોથી જોડાયેલી દુર્ઘટના -2012 પછી મોરોક્કોમાં સૌથી મોટી ગમ્ખ્વાર દુર્ઘટના હતી, જ્યારે એક બસ ખાડામાં પડી હતી, જેમાં 42 લોકોનાં મોત થયાં હતાં. ગયા વર્ષે આ આંકડો જોઈએ તો એ આશરે 3200 હતો. જોકે અધિકારીઓએ રોડ અકસ્માતના કારણે મૃત્યુદરને 2026 સુધી અડધો કરવાનું લક્ષ્ય રાખ્યું છે.