ટીસીએસ રુહાનિયત લાઈવ કોન્સર્ટનું અમદાવાદમાં આયોજન

અમદાવાદઃ આ વર્ષના TCS રુહાનિયત કાર્યક્રમનું આયોજન અમદાવાદમાં 26 ફેબ્રુઆરીએ વસ્ત્રાપુર લેક એમ્ફિથિયેટરમાં સાંજે 6.30 વાગ્યે કરાશે.

TCSનું આ 21મું વર્ષ છે. તે દેશભરમાં 8 શહેરોમાં આ કાર્યક્રમ યોજે છે. અમદાવાદના લાઈવ કાર્યક્રમમાં આ કલાકારો ભાગ લેશેઃ મદન ગોપાલ સિંહ અને ચાર યાર (ખુશરો-કબીર), અવધૂત ગાંધી અને ગ્રુપ, દરે ખાન અને ગ્રુપ, ઈસ્માઈલ પારા અને ગ્રુપ, ચાંદ નિઝામી અને ગ્રુપ. ટિકિટ બૂકમાયશો પર ઉપલબ્ધ થશે.