જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા આતંકી હુમલા બાદ ગુજરાત સરકારે રાજ્યમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે કડક પગલાં લીધાં. આ હુમલાએ રાષ્ટ્રીય સુરક્ષાને લઈને ચિંતા વધારી, જેના પગલે ગુજરાત પોલીસે અમદાવાદ, સુરત અને વડોદરા જેવા શહેરોમાં વ્યાપક ઓપરેશન હાથ ધર્યું. આ કાર્યવાહીમાં 6,500થી વધુ શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ કરાઈ, જેમાંથી 450 બાંગ્લાદેશી ગેરકાયદે રહેતા હોવાની પુષ્ટિ થઈ. રાજ્ય સરકારે આ ઘૂસણખોરોના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવીને ચંડોળા તળાવ જેવા વિસ્તારોમાંથી અતિક્રમણ હટાવ્યું.
અમદાવાદમાં 890 અને સુરતમાં 134 શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત કરાઈ, જેમાંથી અનુક્રમે 200 અને 90 વ્યક્તિઓ ગેરકાયદે રહેતા હોવાનું સામે આવ્યું. વડોદરામાં 1,700 શંકાસ્પદ લોકોની તપાસમાં 9 બાંગ્લાદેશીઓ ઝડપાયા. આ ઓપરેશન 26 એપ્રિલ, 2025ની રાત્રે 3 વાગ્યે શરૂ થયું, જેમાં ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ અને ઇકોનોમિક ઓફેન્સિસ વિંગે સંયુક્ત રીતે કામગીરી કરી. ગૃહ રાજ્યમંત્ર “
આ ઘૂસણખોરોને હવાઈ માર્ગે ડિપોર્ટ કરવાની પ્રક્રિયા ગુપ્ત રીતે હાથ ધરાઈ. અમદાવાદ, સુરત અને અન્ય જિલ્લાઓમાંથી પકડાયેલા આશરે 300 બાંગ્લાદેશીઓને બસોમાં એસ્કોર્ટ સાથે વડોદરા લઈ જવાયા, જ્યાંથી તેમને એરક્રાફ્ટ મારફતે બાંગ્લાદેશ પરત મોકલવામાં આવ્યા. ગુજરાત પોલીસે દસ્તાવેજો, પૂછપરછ અને સેટેલાઇટ ઇમેજરીનો ઉપયોગ કરીને ગેરકાયદે રહેતા લોકોની ઓળખ કરી. આ ઓપરેશનને રાજ્ય સરકારે રાષ્ટ્રીય સુરક્ષા અને પર્યાવરણીય સંરક્ષણના હિતમાં જરૂરી ગણાવ્યું.
