સુરત એરપોર્ટનો કાયાકલ્પઃ પેસેન્જરોને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ મળશે

નવી દિલ્હીઃ રાજ્યની આર્થિક રાજધાની સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટની સૂરત બદલવાની તૈયારી ઝડપથી થઈ રહી છે. ડાયમંડ અને ટેક્સટાઇલ હબવાળા આ શહેરમાં દેશ-દુનિયામાંથી લાખ્ખો પેસેન્જરો આવ-જા કરે છે. દેશના સુરત એરપોર્ટ  પર પિક અવરમાં પેસેન્જરની ક્ષમતાના વિસ્તરણ માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) 353 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરી રહી છે, જે આવતા વર્ષે ડિસેમ્બર સુધી 1800 પેસેન્જરો માટે ત્રણ ગણી કરવામાં આવશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે 30 જાન્યુઆરીએ સુરત એરપોર્ટ પર ટર્મિનલ બિલ્ડિંગ માટે પાયાનો પથ્થર મૂક્યો હતો. AAI અનુસાર રાજ્યના હીરા અને ટેક્સટાઇલ્સ શહેરમાં AAI દ્વારા સંચાલિત એરપોર્ટ પર પૂરા થતા નાણાકીય વર્ષ 31 માર્ચ, 2020માં 15 લાખ પેસેન્જરોએ આવ-જા કરી હતી.

અમદાવાદ પછી ગુજરાતના આ બીજા સૌથી વ્યસ્ત એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગનો ત્રણ ગણો વધુ વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. હાલ 8474 સ્ક્વેર મીટર ક્ષેત્રફળવાળા ટર્મિનલ બિલ્ડિંગ વધારીને 25,520 સ્ક્વેર મીટર કરવામાં આવી રહ્યું છે. આટલું જ નહીં, પાર્કિંગ ક્ષમતા 23 બેઝ સુધી વિસ્તાર કરવામાં આવી રહ્યો છે.  આ સિવાય 2905 x 39 મીટર ક્ષેત્રફળમાં ટેક્સી ટ્રેક તૈયાર કરવામાં આવી રહ્યો છે. પ્રોજેક્ટ પૂરો થતાં પિક અવરમાં આ એરપોર્ટની ક્ષમતા વધીને સ્થાનિકમાં 1200 અને 600 આંતરરાષ્ટ્રીય પેસેન્જરોને હેન્ડલ કરવાની થશે. વર્ષમાં 26 લાખ પેસેન્જરોને હેન્ડલ કરવાની ક્ષમતાવાળા આ એરપોર્ટના વિસ્તરણનું કામ ડિસેમ્બર, 2021 સુધીમાં પૂરું થશે. સુરત એરપોર્ટની વર્તમાન પિક અવરની પેસેન્જર ક્ષમતા આશરે 600 પેસેન્જરોની છે, એમ એરપોર્ટના વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું.

આ પ્રોજેક્ટ પૂરો થવા પર ટર્મિનલ બિલ્ડિંગમાં 20 ચેઇન કાઉન્ટર્સ, પાંચ એરો બ્રિજ, ઇનલાઇન લગેજ હેન્ડલિંગ સિસ્ટમ, દેશ-દુનિયાથી આ એરપોર્ટ પર પહોંચનારા પેસેન્જરો માટે પાંચ કન્વેયર બેલ્ટ્સના ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થશે. આ સિવાય 475 કારોની પાર્કિંગ ક્ષમતાવાળું કાર પાર્કિંગ તૈયાર કરવામાં આવી રહ્યું છે, એમ AAIએ કહ્યું હતું.