UNના હેડક્વાર્ટરમાં મોરારિબાપુની કથાનું આયોજન..

યુનાઈટેડ નેશન્સ ઓર્ગેનાઈઝેશનના અમેરિકાના ન્યૂયોર્ક સ્થિત હેડ્ક્વાટર્સમાં મોરારિબાપુની કથાનું આયોજન કરવામાં આવ્યું છે. મોરારિબાપુથી કથાનું આયોજન UNOમાં થવાથી ના માત્ર ભારત, પણ અદ્યાત્મિક જગત માટે વિશેષ આનંદની વાત છે. યુએનઓ એ આંતરરાષ્ટ્રીય દેશોનું સંગઠન છે, જેમાં 193 દેશ સદસ્ય છે. હાલ સુધીમાં કોઈ પણ ભારતના કોઈ કથાકાર જ નહીં, પણ કોઈપણ અદ્યાત્મિક વિભૂતિને આ પ્રકારનો અવસર મળ્યો નથી કે યુએનઓ હેડક્વાર્ટરમાં સત્સંગ કરી શકે. અત્રે ઉલ્લેખનીય છે કે મોરારિબાપુની આ 940મી રામકથા છે. રામકથાકાર મોરારિબાપુની 9 દિવસની રામકથાનું આયોજન 27 જુલાઈથી 4 ઓગસ્ટ સુધી અમેરિકા સ્થિત યુએનઓ હેડક્વાર્ટરમાં કરવામાં આવ્યું છે. મોરારિબાપુ આ માટે ન્યૂયોર્ક પહોંચી ગયા છે. આ કથાનું આયોજન એ દર્શાવે છે કે પશ્ચિમી દેશોમાં ભારતીય પરંપરા, સનાતન ધર્મ અને ભારતીય દર્શન પ્રત્યે દુનિયાના દેશોની દૃષ્ટિ ઉદારતાભરી છે. આ કથાની મંજૂરી મળવી એ જ દર્શાવે છે કે દુનિયાના દેશો એમ માની રહ્યા છે કે રામચરિત માનસ ગ્રંથમાં જે લખવામાં આવ્યું છે એનાથી સમાજને, દુનિયાને નવો શાંતિનો પથ મળશે.

મોરારિબાપુની આ કથા જીવંત પ્રસારણ ‘VEDIC Channel & Chitrakoot Dham Talgajarda નામની યૂટ્યૂબ ચેનલ પર બતાવવામાં આવશે. કથાના પહેલા દિવસે 28 જુલાઈ, 2024. એટલે 27 જુલાઈનીમોડી રાત્રે 1:30 વાગ્યાથી 28ની વહેલી સવારે 4:30 વાગ્યા સુધી. બાકીના દિવસોની કથા 28 જુલાઈથી 4 ઓગસ્ટ, 2024 ભારતીય સમય મુજબ સાંજે 7:30થી રાત્રે 11:00 વાગ્યા સુધી કથા ચાલશે.

મોરારિબાપુની કથા વિદેશોમાં જ્યારે પણ થાય છે ત્યારે એનું લાઇવ પ્રસારણ થાય છે, પણ વિશેષ જાણકારી એ છે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AIના માધ્યમથી આ કથાને દુનિયાભરમાં પ્રસારિત કરવામાં આવશે. લાઈવ પ્રસારણમાં હિન્દીમાં કથા સાંભળી શકીશું તો બીજી તરફ AIની મદદથી અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કથા મોરારિબાપુના જ અવાજમાં પણ સાંભળી શકાશે. મોરારિબાપુ કથા તો હિન્દીમાં જ કરશે, પણ એના 40 કલાક પછી અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરાયેલી કથા સાંભળવા મળશે.