અમદાવાદ: RSSના નવા કાર્યલયનું મોહન ભાગવતના હસ્તે લોકાર્પણ

અમદાવાદ: રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંધ (આરએસએસ)નાં વડા મોહન ભાગવત બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. પોતાની ગુજરાત મુલાકાત દરમ્યાન મોહન ભાગવતે અમદાવાદ ખાતે આરએસએસનાં નવનિર્મિત કાર્યાલયનું લોકાર્પણ કર્યું હતું.

મણિનગર ખાતે આવેલ આરએસએસના કાર્યાલયનું નવનિર્માણ કરવામાં આવ્યુ છે, જેનું લોકાર્પણ મોહન ભાગવતના હસ્તે કરવામાં આવ્યું. કાંકરિયા, મણીનગર વિસ્તારમાં આવેલા હેડગેવાર ભવન જૂના કાર્યાલયને તોડી નવું અને અધ્યતન બિલ્ડિંગ ઉભું કરવામાં આવ્યું છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)