અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેના અંતરને જોડવા માટે અને દરરોજ ગાંધીનગરથી અમદાવાદ અવર જવર કરનારા માટે મેટ્રો ટ્રેનની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ડાયરેક્ટ કનેક્ટિવિટી અને ટ્રેન ફ્રિકવન્સી વધારવાને લઈને મેટ્રો રેલ સેફ્ટી કમિશનરે મંજૂરી આપી છે. જેમાં આગામી 15 ફેબ્રુઆરીથી APMCથી સેક્ટર 1 અને ગિફ્ટ સિટી સુધીની ટ્રેન શરુ થશે. આમ થવાથી હવે મુસાફરોને સેક્ટર 1 અને ગિફ્ટ સિટી જવા માટે મોટેરા સ્ટેડિયમ અથવા GNLUથી ટ્રેન નહી બદલવી પડે. જ્યારે GNLU અને ગિફ્ટ સિટી ઓફીસો વચ્ચે બસ સેવાઓ પણ દર અડધા કલાકે ઉપલબ્ધ રહેશે.
— Gujarat Metro Rail Corporation (GMRC) Limited (@MetroGMRC) February 13, 2025
![](https://chitralekha.com/chitralemag/wp-content/themes/Newspaper/images/whatsapp-channel-follow.png)